આપણે સહુ વરસાદી વાતાવરણ હોય કે હડતાલ હોય કે તહેવારના દિવસો હોય ત્યારે જલસા કરવાના મુડમાં આવી જઈએ છીએ પણ ઉપર આભ અને નીચે ધરતી જ જેનો આશરો છે તેવા ઘણા ગરીબ અને શ્રમીક પરિવારોથી લઇ રોજ નું કરી રોજ ખાતા હોય તેવા સામાન્ય લોકોની વસ્તી પણ આપણે ત્યાં ઉડીને આંખે વળગે એટલી છે. શહેરી ધમધમાટના માહોલ વચ્ચે આવા લોકોનું શું થતું હશે..?? તે વિચારવાની અને આપણે કઈ રીતે આ પરિવારોના મ્હો પર સ્મીત લાવી શકીએ તેવા પ્રયત્નો કરવાની જરૂર હોય તેમ નથી લાગતું..??